Air Purifier Buying Tips: પ્રદૂષણથી બચો: એર પ્યુરીફાયર ખરીદતા પહેલા ચેતજો! ઓઝોન ગેસ છોડતા મશીનો સ્વાસ્થ્ય માટે ખતરનાક

Arati Parmar
3 Min Read

Air Purifier Buying Tips: શિયાળાની શરૂઆત સાથે જ શહેરોમાં પ્રદૂષણ પણ ઘણું વધી ગયું છે. ખાસ કરીને દિલ્હી-એનસીઆરમાં તો હાલત ખૂબ ખરાબ છે. આ શહેરોમાં વધતા પ્રદૂષણે એર પ્યુરીફાયર ને ઘરની જરૂરિયાત બનાવી દીધી છે. હવે ઘણા લોકો પોતાના ઘરોમાં, ઓફિસોમાં એર પ્યુરીફાયર લગાવી રહ્યા છે. જો તમે પણ એર પ્યુરીફાયર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો પહેલા તમારે કેટલીક વાતોનું ધ્યાન હોવું જરૂરી છે. નહીં તો પછી તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. ઘણા લોકો એ જોતા જ નથી કે તેમનું એર પ્યુરીફાયર ઓઝોન ગેસ તો નથી છોડી રહ્યું.

ઘણા લોકો માને છે કે દરેક પ્યુરીફાયર હવાને સંપૂર્ણપણે સુરક્ષિત બનાવી દે છે. પરંતુ કેટલીક ટેક્નોલોજીઓ હવા સાફ કરવાની સાથે-સાથે ઓઝોન પણ પેદા કરી શકે છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક માનવામાં આવે છે. ઓઝોન શ્વાસની નળીમાં બળતરા, માથાનો દુખાવો અને ફેફસાંની સમસ્યાઓ વધારી શકે છે. તેથી માત્ર બ્રાન્ડ કે કિંમત જોઈને નિર્ણય લેવો સમજદારી નથી. ઓઝોન ગેસવાળા એર પ્યુરીફાયર થી પણ બચવું જોઈએ.

- Advertisement -

એર પ્યુરીફાયરમાં ઓઝોન ગેસનો ખતરો: બધા જ એર પ્યુરીફાયર ઓઝોન નથી છોડતા, પરંતુ કેટલીક ખાસ ટેક્નોલોજીઓ આનું કારણ બને છે. આયનાઇઝર અને ઓઝોન જનરેટર વાળા પ્યુરીફાયર હવામાં ચાર્જ્ડ પાર્ટીકલ્સ છોડે છે, જે ધૂળ અને એલર્જનને નીચે બેસાડવામાં મદદ કરે છે. આ જ પ્રક્રિયામાં ઓઝોન પણ બની શકે છે. ઓછી માત્રામાં પણ ઓઝોન લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી નુકસાન પહોંચાડી શકે છે. ઘણા દેશોમાં આ મશીનોને લઈને કડક નિયમો છે, પણ ભારતમાં હજી પણ દરેક મોડેલ પર સ્પષ્ટ જાણકારી મળતી નથી. તેથી ખરીદતી વખતે એ ચેક કરવું જરૂરી છે કે પ્યુરીફાયર ઓઝોન ફ્રી છે કે નહીં. જો પેકેજ કે મેન્યુઅલમાં આયનાઇઝર કે ઓઝોન આઉટપુટનો ઉલ્લેખ હોય, તો સતર્ક થઈ જાઓ અને સર્ટિફાઇડ રિપોર્ટ જરૂર જુઓ.

ખરીદતી વખતે કઈ બાબતો પર ધ્યાન આપવું?: એર પ્યુરીફાયર ખરીદતી વખતે સૌથી સુરક્ષિત વિકલ્પ HEPA ફિલ્ટર વાળું મોડલ હોય છે. આ ટેક્નોલોજી કોઈપણ કેમિકલ પ્રોસેસ વિના ઝીણા પાર્ટીકલ્સને પકડી લે છે અને ઓઝોન બનાવતી નથી. આની સાથે એક્ટિવેટેડ કાર્બન ફિલ્ટર દુર્ગંધ અને ગેસોને હટાવવામાં મદદ કરે છે. હંમેશા CADR રેટિંગ (Clean Air Delivery Rate), રૂમના કદ અને ફિલ્ટર રિપ્લેસમેન્ટ કોસ્ટ પણ ચેક કરો. AHAM કે CARB જેવા ટ્રસ્ટેડ સર્ટિફિકેશન હોવું ભરોસાપાત્ર માનવામાં આવે છે. એર પ્યુરીફાયર ખરીદતા પહેલા તેની ટેકનિકલ ડિટેલ જરૂર વાંચો. જો આયનાઇઝર ફીચર આપવામાં આવ્યું હોય, તો તેને બંધ કરવાનો ઓપ્શન હોવો જોઈએ, તો જ તે એર પ્યુરીફાયર ખરીદવું.

- Advertisement -
Share This Article