India becomes 4th largest economy: ઓપરેશન સિંદૂરે દેશ હૈયામાં દેશપ્રેમના ઘોડાપુર ઉભારવાનું કામ કર્યું છે.લોકો માટે આ 26 દેશવાસીઓના મોત સાથે ભારતે પાકિસ્તાનને જે સબક શીખવ્યો છે તે માટે ગૌરવ અનુભવી પોરસાઈ રહ્યા છે.ત્યારે હાલમાં ફરી એકવાર ભારતીયો માટે સારા સમાચાર આવ્યા છે કે,આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે.આર્થિક મોરચે ભારત માટે આ સારા સમાચાર છે, જે દેશને માત્ર આત્મવિશ્વાસ જ નહીં પરંતુ ઝડપથી ઉભરતા ભારતનો સંકેત પણ છે. . આ રિપોર્ટ 22 એપ્રિલ 2025 ના રોજ બહાર પાડવામાં આવ્યો છે. નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે આ વાતની પુષ્ટિ કરી અને કહ્યું કે દેશનો જીડીપી ચાર ટ્રિલિયન ડોલરને વટાવી ગયો છે.
તેમણે કહ્યું કે ભારતનો GDP હવે 4 ટ્રિલિયન ડોલરને વટાવી ગયો છે અને આ કોઈ અંદાજ નથી પણ IMG ડેટા છે. નીતિ આયોગના સીઈઓએ એમ પણ કહ્યું કે જો ભારતીય અર્થતંત્ર આ ગતિએ વધતું રહેશે, તો આગામી 2 થી 3 વર્ષમાં ભારત જર્મનીને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે.
હવે ભારત જર્મનીથી એક ડગલું દૂર છે
વર્ષ 2023 માં વિશ્વની ટોચની 10 અર્થવ્યવસ્થાઓ નીચે મુજબ હતી – અમેરિકા 27.72 ટ્રિલિયન ડોલર, ચીન 17.79 ટ્રિલિયન, જર્મની 4.52 ટ્રિલિયન, જાપાન 4.20 ટ્રિલિયન, ભારત 3.56 ટ્રિલિયન, બ્રિટન 3.38 ટ્રિલિયન, ફ્રાન્સ 3.05 ટ્રિલિયન, ઇટાલી 2.30 ટ્રિલિયન, બ્રાઝિલ 2.17 ટ્રિલિયન અને કેનેડા 2.14 ટ્રિલિયન ડોલર. પરંતુ, 20225-26 માટેના નવા IMF રિપોર્ટમાં, ભારતીય અર્થતંત્ર $4.286 ટ્રિલિયન અને જાપાનનું અર્થતંત્ર $4.186 ટ્રિલિયન હોવાનો અંદાજ છે.
ત્રીજા અર્થતંત્રનો અર્થ
અહીં એક વાત સમજવા જેવી છે કે જ્યારે આપણે કહીએ છીએ કે ભારતનું અર્થતંત્ર 4 ટ્રિલિયન ડોલરને વટાવી ગયું છે, તો તેનો અર્થ એ થાય કે અહીં એક વર્ષમાં થતા તમામ વ્યવસાય, સેવાઓ અને ઉત્પાદનનું મૂલ્ય 4 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. આ દેશનો GDP છે, જે તેને આર્થિક રીતે માપવા માટેનો આધાર પણ છે.
આવી સ્થિતિમાં, હવે વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનવાનો અર્થ એ છે કે ભારત માત્ર એક ઉભરતી અર્થવ્યવસ્થા જ નથી, પરંતુ એક સ્થાપિત વૈશ્વિક આર્થિક શક્તિ પણ બની ગયું છે. આઝાદી પછી દેશને ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવામાં લગભગ છ દાયકા લાગ્યા, ત્યારબાદ દેશનું અર્થતંત્ર 2014 માં 2 ટ્રિલિયન, 2021 માં ત્રણ ટ્રિલિયન અને 2025 માં 4 ટ્રિલિયન સુધી પહોંચી જશે.
આનો સીધો અર્થ એ થયો કે દેશમાં વપરાશ વધ્યો છે અને રોકાણકારોનો વિશ્વાસ મજબૂત થયો છે. એવા સમયે જ્યારે વિશ્વની બધી અર્થવ્યવસ્થાઓ ધીમી પડી રહી છે, IMFનો આ અહેવાલ દર્શાવે છે કે ભારત ઉત્પાદનથી લઈને સેવાઓ, ટેકનોલોજીથી લઈને માળખાગત સુવિધાઓ સુધીના દરેક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. IMFનો અંદાજ છે કે 2025માં ભારતનો GDP વૃદ્ધિ દર 6.2 ટકા રહેશે, જ્યારે જાપાન જેવા દેશો માત્ર 0.5 ટકાના દરે વૃદ્ધિ પામશે.
ભારતના GDP વિશે હાલ ઘણી વાતો અને ક્યાંક સારી આશા રાખવામાં આવી રહી છે.અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આપણે ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયા છીએ.
પણ વાસ્તવિકતા શું છે?
હકીકતમાં, માથાદીઠ GDP ની દ્રષ્ટિએ, ભારત હજુ પણ ૧૩૫ દેશોથી પાછળ છે. આપણે ૧૩૬મા ક્રમે છીએ.
આ રીતે સમજો,
* એક ઘરમાં 4 લોકો છે જેમની આવક 1 લાખ છે.
* બીજા ઘરમાં 10 લોકો છે, જેમની આવક 1 લાખ રૂપિયા છે.
ત્યારે 1 મિનિટ વિચારો કે, કોણ ધનવાન ગણાય ?
સાચો જવાબ… જે ઘરમાં 4 લોકો હોય. કારણ કે તે ઘરના દરેક વ્યક્તિ પાસે 25 હજાર રૂપિયા છે.
જ્યારે બીજા ઘરમાં, જેમાં 10 લોકો છે, દરેક વ્યક્તિ પાસે ફક્ત 10,000 રૂપિયા છે.
જાપાન, જેને આપણે પાછળ છોડી દેવાની વાત કરી રહ્યા છીએ, તે માથાદીઠ GDPની યાદીમાં 34મા ક્રમે છે અને ભારત 136મા ક્રમે છે.
જાપાનની વસ્તી માત્ર ૧૨ કરોડ છે.
* ભારતની વસ્તી ૧૪૦ કરોડ છે
ત્યારે આવું પણ એક ગણિત પણ ચાલે છે,તેમછતાં આશા રાખી શકીયે કે, ભારતીયોને ક્યાંક નીચે મુજબના ફાયદા થાય.
શું ફાયદો થશે?
ભારતના અર્થતંત્ર પર IMF દ્વારા આપવામાં આવેલી મંજૂરીની આ મહોર આગામી દિવસોમાં રોકાણકારોનો વિશ્વાસ વધુ મજબૂત બનાવશે. નવી નોકરીની તકોથી લઈને જીવનધોરણમાં સુધારો અને રોકાણના રસ્તાઓ સુધી, બધું જ જોવામાં આવશે. જોકે, દેશ હાલમાં ઘણા પડકારોનો સામનો કરી રહ્યો છે, પછી ભલે તે આવકની અસમાનતા હોય, બેરોજગારી હોય કે માથાદીઠ આવક હોય. ભારત હજુ પણ આયાત પર ભારે નિર્ભર છે. આવી સ્થિતિમાં, ભારતે આગામી સમયમાં આનો સામનો કરવા માટે પગલાં ભરવા પડશે

