EV manufacturers in India: ચીનના નિકાસ નિયંત્રણથી ભારતીય EV ઉદ્યોગ સામે સંકટ

Arati Parmar
By Arati Parmar 3 Min Read

EV manufacturers in India: ઇલેક્ટ્રિક વાહનો માટે જરૂરી મેગ્નેટ (ચુંબક) સહિત દુર્લભ ખનિજો પર ચીનના નવા નિકાસ નિયંત્રણ આદેશને પગલે ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના  ઉત્પાદન માટે ખતરો ઊભો થયો છે. નિકાસ નિયંત્રણના કારણે મેગ્નેટના પુરવઠામાં વિલંબ થશે તો, જૂનના અંત સુધી ઉત્પાદન પર અસર પડી શકે છે જ્યારે હાલનો સ્ટોક ખતમ થઈ જશે.

ઓટોમોબાઈલ ઉત્પાદકોના સંગઠન સિયામ દ્વારા અને ઓટોમોબાઈલ કંપનીઓએ ભારે ઉદ્યોગ મંત્રાલયને રજુઆત કરી છે કે તેઓ ચીનમાંથી દુર્લભ ખનિજોની આયાતને સરળ બનાવવા માટે ચીન સરકાર સાથે વાટાઘાટો કરે. તેમાં કહેવામાં આવ્યું છે કે જો ભારતનો કોઈ આયાતકાર ચીની નિકાસકાર પાસેથી દુર્લભ ખનિજોની આયાત કરે છે, તો આગામી છ મહિના સુધી આયાતકારને તે જ નિકાસકાર પાસેથી સમાન દુર્લભ ખનિજો મળતા રહે તે સુનિશ્ચિત કરવા માટે મંજૂરી લેવી જોઈએ.

- Advertisement -
Share This Article