Fried Foods Cause Anxiety: ચિંતા, તણાવ, ગભરાટ વધી રહ્યા છે? ખાવાની ખોટી આદત હોઈ શકે છે કારણ, ડોક્ટર પાસેથી જાણો મગજ અને પેટનું કનેક્શન

Arati Parmar
3 Min Read

Fried Foods Cause Anxiety: જો તમને પણ ભજીયા, ચિપ્સ, ફ્રેન્ચ ફ્રાઈસ જેવી તળી-ભૂંજેલી વસ્તુઓ ખાવી ગમે છે, તો આ શોખ તમારી એંગ્ઝાયટી એટલે કે ચિંતા, ગભરાટ અને બેચેની વધારી શકે છે. વધુ પડતી તળેલી વસ્તુઓ ખાવાથી માનસિક સ્વાસ્થ્ય અને મૂડ સાથે જોડાયેલી સમસ્યાઓ વધી શકે છે.

તળી-ભૂંજેલી વસ્તુઓ ખાવાથી એંગ્ઝાયટી કેમ વધે છે?

ફ્રાઈડ વસ્તુઓમાં ટ્રાન્સ ફેટ, રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ અને ઓક્સિડાઈઝ્ડ ઓઈલનું પ્રમાણ વધુ હોય છે. તેનું નિયમિત સેવન શરીરમાં ક્રોનિક ઇન્ફ્લેમેશન (સોજો) વધારે છે. આ સોજો મગજના ન્યુરોટ્રાન્સમીટર જેમ કે સેરોટોનિન અને ડોપામાઈનના સંતુલનને બગાડી શકે છે, જે આપણા મૂડ અને ભાવનાત્મક સ્થિરતાને નિયંત્રિત કરે છે.

- Advertisement -

તળેલી વસ્તુઓ આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાને પણ નુકસાન પહોંચાડે છે. શરીરમાં લગભગ 90% સેરોટોનિનનું નિર્માણ આંતરડામાં થાય છે, તેથી પેટનું સ્વાસ્થ્ય બગડતા એંગ્ઝાયટી વધવાની શક્યતા વધી જાય છે. તેને ડોક્ટર ‘ગટ-બ્રેન એક્સિસ ઇમ્બેલન્સ’ કહે છે. આ ઉપરાંત, તળેલું ખાવાથી શુગર લેવલ ઝડપથી વધે છે અને પછી અચાનક ઘટે છે, જેનાથી ચીડિયાપણું અને ગભરાટ અનુભવાય છે.

કયા ફૂડ એંગ્ઝાયટી વધારે છે?

લાંબા સમય સુધી ફ્રાઈડ ફૂડ ખાવાથી મગજની કાર્યક્ષમતા પર નકારાત્મક અસર પડે છે. એંગ્ઝાયટીને ટ્રિગર કરવામાં નીચેના ફૂડ મહત્વની ભૂમિકા ભજવે છે:

- Advertisement -
  • સમોસા, ભજીયા, ફ્રેન્ચ ફ્રાઈસ જેવા ડીપ-ફ્રાઈડ સ્નેક્સ.

  • ફાસ્ટ ફૂડ જેમ કે ફ્રાઈડ ચિકન, બર્ગર અને ચિપ્સ.

  • પ્રોસેસ્ડ ફૂડ્સ જેમાં પ્રિઝર્વેટિવ્સ અને આર્ટિફિશિયલ એડિટિવ્સ હોય છે.

  • વારંવાર વપરાયેલા તેલમાં બનેલું સ્ટ્રીટ ફૂડ.

કઈ ઉંમરના લોકો વધુ પ્રભાવિત છે?

ડાયટ સાથે જોડાયેલી એંગ્ઝાયટી કોઈ પણ ઉંમરે થઈ શકે છે, પરંતુ 18 થી 35 વર્ષના યુવાનો આનાથી સૌથી વધુ પ્રભાવિત થાય છે. આ ઉંમરે વ્યસ્ત જીવનશૈલીને કારણે લોકો ફાસ્ટ ફૂડ પર વધુ નિર્ભર રહે છે. તે સિવાય સ્થૂળતા, ડાયાબિટીસ કે હોર્મોનલ સમસ્યા ધરાવતા લોકોમાં પણ ખોટી ફૂડ હેબિટને કારણે લક્ષણો વધી શકે છે.

એંગ્ઝાયટીથી કેવી રીતે બચવું?

ડાયટમાં ફેરફાર કરીને ઘણે અંશે એંગ્ઝાયટીથી બચી શકાય છે. આ માટે:

- Advertisement -
  • તળેલી અને પ્રોસેસ્ડ વસ્તુઓનું સેવન ઓછું કરો.

  • સમયસર સંતુલિત ભોજન લો.

  • નિયમિત કસરત કરો.

  • મેડિટેશન અને ઊંડા શ્વાસ લેવાની ટેકનિકથી તણાવ ઓછો કરો.

એંગ્ઝાયટી ઘટાડવા શું ખાવું?

  • એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર તાજા ફળો અને શાકભાજી.

  • આખા અનાજ જેમ કે ઓટ્સ અને બ્રાઉન રાઈસ.

  • ઓમેગા-3 ફેટી એસિડ માટે અખરોટ, અળસી કે માછલી.

  • ગટ હેલ્થ માટે દહીં અને આથો આવેલા (ફર્મેન્ટેડ) ખોરાક.

  • વિટામિન અને મિનરલ્સ માટે ડ્રાય ફ્રૂટ્સ અને બીજ (સીડ્સ).

  • પૂરતા પ્રમાણમાં પાણી પીવો.

Share This Article